વિરાટ કોહલી પર વીરેન્દ્ર સહેવાગ કેમ અને ક્યારે આવ્યો ગુસ્સો,જુઓ આ વીડિયો

વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનાં સૌથી વધુ વનડે સદીના રેકોર્ડને તોડયો હતો.જે બાદ દિગ્ગજ ઓપનર વીરેન્દ્ર સહેવાગે વિરાટ કોહલીને સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીને શુભકામનાઓ પાઠવી હતી.પરતું શું તમે જાણો છો,એકવાર સહેવાગ કોહલી પર ખુબ જ ગુસ્સો થઈ ગયા હતો.જેનો ખુલાસો ખુદ સહેવાગે એક શો દરમિયાન કર્યો હતો.

ચાફટ કટર સહાય યોજના : ઘાસ કાપવાનું મશીન ખરીદવા માટે સરકાર આપશે 28,000 ની સહાય

વિરાટ કોહલી અને વીરેન્દ્ર સહેવાગ લાંબા સમય સુધી ભારતીય ટીમ તરફથી સાથે રમ્યા છે અને બન્નેની બેટિંગ સ્ટાઈલ પણ ધણી સમ્માન છે.બને દિલ્હીનાં છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટીમ ઇન્ડિયા માટે અનેક યાદગાર ઇનિંગ રમી અને રેકોર્ડસ પણ બંનેએ બનાવ્યા છે.છતાં બન્ને વચ્ચે એક સમયે કોઈક વાતને લઈ અણબનાવ થયો હતો અને વીરેન્દ્ર સહેવાગ વિરાટ કોહલી પર ગુસ્સે પણ થયો હતો.

દિગ્ગજ ખેલાડીઓ હતા નારાજ

વિરાટ કોહલીની ટેલેન્ટ અને તેની ક્રિકેટીંગ સ્કિલના બધા ફેન છે અને તેના આંકડાઓ પર જોરદાર રહ્યા છે, પરંતુ વિરાટની મેદાનમાં હરકતો અને તેના ગુસ્સાને કારણે વિરાટથી અનેક દિગ્ગજ ક્રિકેટરો નારાજ હતા. જેમાં એક હતો ભારતનો દિગ્ગજ ઓપનર વીરેન્દ્ર સેહવાગ.

[નવા ફોર્મ] પ્લાઉ સહાય યોજના 2023 : સરકાર આપશે પ્લાઉ ખરીદવા માટે ખર્ચના 50% અથવા 40 હજારની સહાય

વિરાટને મેદાનમાં ગુસ્સો કરવો પસંદ છે

વિરાટ કોહલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના શરૂઆતના દિવસોમાં આક્રમક ક્રિકેટ રમવું ખૂબ જ પસંદ હતું, ડિફેન્સ કરતાં ફટકાબાજી કરવી વિરાટને વધુ પસંદ છે. સાથે જ તેને મેદાનમાં ગુસ્સો કરવો પણ પસંદ હતો. જે આજે પણ છે, પરંતુ હાલના સમયમાં વિરાટમાં ખૂબ જ પરિવર્તન આવ્યા છે, જે મેદાનમાં અને મેદાનની બહાર પણ જોવા મળે છે. તેના ગુસ્સાના કારણે વિરાટ અનેકવાર ટ્રોલ પણ થયો હતો.

આજના સોના ચાંદીના ભાવ 16/11/2023 : આજે સોનું થયું મોંઘુ તો ચાંદી માં તેજી જુઓ આજના ભાવ

વીરેન્દ્ર સેહવાગને વિરાટ કોહલી પર ગુસ્સો કેમ આવ્યો?

વીરેન્દ્ર સેહવાગ એક સમયે વિરાટ કોહલી પર ખૂબ જ ગુસ્સે થયો હતો, જે અંગે ખૂબ સેહવાગે એક શો દરમિયાન ખુલાસો કર્યો હતો. જેમાં સેહવાગે જણાવ્યું હતું કે, વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે પર્થ ટેસ્ટમાં ફિલ્ડિંગ કરી રહ્યો હતો. ત્યારે વિરાટે સ્ટેડિયમમાં દર્શકો તરફ આંગળી બતાવી હતી, જે બાદ અમ્પાયરે તેને દંડ ફટકાર્યો હતો. જો વિરાટ પર બેન લગાવવામાં આવ્યો હોત તો ટીમની મુશ્કેલી વધી ગઈ હોત.

ઓસ્ટ્રેલિયા સીરિઝમાં એકમાત્ર સફળ ભારતીય ખેલાડી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક ટેસ્ટ સીરિઝ દરમિયાન વિરાટ કોહલી એકમાત્ર એવો બેસ્ટમેન હતો, જે ઓસ્ટ્રેલિયા સામે સફળ રહ્યો હતો. વિરાટે પર્થ ટેસ્ટમાં પહેલી ઈનિંગમાં 80 રન પણ બનાવ્યા હતા, એવામાં વિરાટની આવી હરકતના કારણે તેના પર બેન લાગી શક્યો હોત, જેના કારણે ટીમને નુકસાન થઈ જાત. સાથે જ ટીમે બીજી મેચમાં ટીમ કોમ્બિનેશનમાં પણ ફેરફાર કરવો પડ્યો હોત. જેના કારણે સેહવાગ વિરાટ પર ગુસ્સે થયો હતો.

વીરેન્દ્ર સહેવાગ કેમ ગુસ્સે થયા જુઓ આ વીડિયોઅહીં ક્લિક કરો
Scroll to Top